Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ જામનગરમાં આગામી તા. ૧લી મે ના 'ગુજરાત રાજ્ય સ્થાપના દિન'ની ભવ્ય ઉજવણીનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય કક્ષાની આ ઉજવણીમાં જામનગરમાં ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાશે તેવી પ્રાથમિક માહિતી જિલ્લા કલેક્ટર બીજલ શાહે પત્રકાર પરિષદમાં આપી હતી. તેમણે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, અત્યારે આ કાર્યક્રમોની રૃપરેખા તૈયાર થઈ છે. જેની સત્તાવાર જાહેરાત એકાદ અઠવાડિયામાં કરવામાં આવશે.
ત. ૧લી મે ના દિને પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સમારોહ યોજાશે.
લાલબંગલાથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી પ્રણાલીગત પરેડ યોજાશે અને રૃટના માર્ગ ઉપર સલામી જીલવા માટેનું સ્ટેજ ઊભું કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત પોલીસ વિભાગ અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સત્યસાઈ સ્કૂલના મેદાનમાં શસ્ત્ર પ્રદર્શન યોજાશે. સંભવતઃ ભારતીય સેનાની ત્રણેય પાંખો પણ તેમાં સહભાગી બનશે.
આ ઉપરાંત સાંજે સાત વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા ઘડાઈ રહ્યો છે.
ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમોમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag