Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પથારાવાળાના ફેરિયાને દૂર ખસેડી જગ્યા ખાલી કરાવાઈઃ
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં પથારાવાળાઓ, ફેરિયાઓ જાહેર રોડ ઉપર ધંધો કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થવા પામે છે. આથી ગઈકાલે ફરી એક વખત મેયરની આગેવાનીમાં એસ્ટેટ શાખાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ખાલી કરીને અમુક દુકાનદારો જ પોતાની દુકાન પાસે પથારા રાખતા હોવાનું પણ ધ્યાનમાં આવતા તેમને પણ ચેતવણી આપવામાં આવી હતી, જ્યારે ફેરિયા, પથારાવાળાઓને દૂર પસેડી જગ્યા ખાલી કરાવાઈ હતી. જામનગરના બર્ધનચોક વિસ્તારમાં પથારાવાળાઓ અને ફેરિયાઓ જાહેર માર્ગ દબાણ કરીને ધંધો કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થવા પામે છે. થોડા સમય પહેલા ખુદ મેયર બિનાબેન કોઠારી મેદાનમાં ઉતર્યા હતાં અને એસ્ટેટ શાખાને સાથે રાખીને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પથારાવાળા, ફેરિયાઓને દૂર ખસી જવા સૂચના આપી હતી તેમજ દુકાનદારોને પણ જાહેર માર્ગ ઉપરથી માલ સામાન ખસેડી લેવા સૂચના આપી હતી. આમ છતાં સ્થિતિમાં સુધારો નહીં થતાં ગત્ સાંજે મેયર બિનાબેન કોઠારીએ એસ્ટેટ શાખાને સાથે રાખીને ફરી વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. આ સમયે નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે મેયરે આખરી ચેતવણી પણ આપી હતી કે હવે જો રોડ ઉપર દબાણ થશે તો માલસામાન જપ્તિમાં લેવામાં આવશે. આ ઉપરાંત અમુક દુકાનદારો પણ જાહેર માર્ગ ઉપર દબાણ કરતા હોવાથી તેમને પણ કડક ચેતવણી આપવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશમાં મેયર સાથે શાસક પક્ષના નેતા અને સ્થાનિક કોર્પોરેટર કુસુમબેન પંડ્યા પણ જોડાયા હતાં અને એસ્ટેટ શાખાના એન.આર. દિક્ષીતની રાહબરી હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag