Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી આશાપુરા મિત્ર મંડળ દ્વારા નેત્ર નિદાન-સારવાર કેમ્પ યોજાશે

ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ કેમ્પ સાથે

જામનગર તા. ૧૩ઃ આશાપુરા મિત્ર મંડળ મચ્છરનગર જામનગર દ્વારા રવિવાર તા. ૧૬-૪-ર૦ર૩ ના આંખના નિદાન કેમ્પ, ઈ-શ્રમ કાર્ડ કેમ્પ તથા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આશાપુરા મંદિરમાં આયોજીત નેત્ર નિદાન સારવાર કેમ્પનું ડો. પૃથ્વીસિંહ જાડેજા (નિવૃત્ત- સિનિયર ઓપટોમેટ્રીસ્ટ, જી.જી. હોસ્પિટલ) દ્વારા આયોજન થયું છે. જેમાં મોતિયા, ઝામર, પડદાના રોગ, વેલ, ત્રાસી આંખ વગેરેનું નિદાન કરી નિઃશુલ્ક સારવાર કરી આપવામાં આવશે.

ઝામરના દર્દી માટે ઝામપર માપવા (દબાણ માપવા) અતિ આધુનિક દહત (નોન કોન્ટેક્ટ ટોનોમીટર) ની વ્યવસ્થા ડો. અમિત મહેતા દ્વારા કરવામાં આવી છે.

મોતિયાના ઓપેરશન માટે દર્દીઓને જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જામર, પડદાના રોગ, ત્રાસી આંખ, વેલના દર્દી માટેની સારવાર મહેતા મલ્ટીસ્પેશીયાલીસ્ટ આંખની હોસ્પિટલમાં કરવામાં આવી છે.

આ કેમ્પમાં ડો. પૃથ્વીસિંહ જાડેજા અને ડો. ચિન્મય રંગાણી સેવા આપશે. જેનો લાભ લેવા શ્રી આશાપુરા મિત્ર મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારે અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh