Advertisement
Author: નોબત સમાચાર

રોજગાર કચેરી દ્વારા જોબફેર યોજાશે

જામનગરમાં ર૮ મી એપ્રિલના રોજ

જામનગર તા. ૧૩ઃ જામનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા આગામી તા. ર૮ એપ્રિલના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. જિલ્લાના વિવિધ ખાનગી ક્ષેત્રના એકમોમાં દિવ્યાંગો માટેની ખાલી જગ્યા ભરવાની હોવાથી ખાનગી ક્ષેત્રના માલિકો રોજગાર કચેરી, જામનગરમાં નોંધણી-રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમજ દિવ્યાંગો માટે અન્ય રોજગાર મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે.

ખાનગી ક્ષેત્રોના માલિકોએ પોતાના કાર્યક્ષેત્ર-કંપનીમાં દિવ્યાંગો માટેની ખાલી પડેલી જગ્યાની વિગતો રોજગાર કચેરીના ઈમેલ એડ્રેસ પર મોકલી આપવાની રહેશે. આ અંગે, વધુ માહિતી કચેરીના સંપર્ક નં. ૬૩પ૭૩૯૦૩૯૦ અને ૦ર૮૮-રપ૬૪૬પ૪ પરથી મેળવી શકાશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) કુ. સરોજ બી. સાંડપા, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh