Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુર તા.૧૩ ઃ ઓખામંડળના આરંભડા ગામના એક આસામી સામે ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
ઓખામંડળના આરંભડામાં રહેતા સોનલકૃપા રોડલાઈન્સ વાળા અરજણભાઈ નારણભાઈ ભાનએ પોતાના વાહનોમાં ડીઝલ ભરાવવા માટે હેમતભાઈ મોહનભાઈ ભાટિયા પાસે ખાતું ખોલાવ્યું હતું. તે પેટે રૃા.૮,૪૨,૬૩૩ આપવાના બાકી હતા.
તે રકમની ચૂકવણી માટે અરજણભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા હેમતભાઈએ અદાલતમાં ધા નાખી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી અરજણભાઈ નારણભાઈ ભાનનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જયેન્દ્ર ચોકસી, મહેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag