Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદ ખર્ચ તથા ત્રાસ બદલ પણ વળતર અપાશેઃ
જામનગર તા.૧૩ ઃ જામનગરના એક આસામીની મોટર અકસ્માતમાં ટોટલ લોસ થઈ ગઈ હતી. તેનું વળતર ચૂકવવાની વીમા કંપનીએ ના પાડતા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૃા.૭ લાખ ઉપરાંતની રકમ વ્યાજ સાથે વળતરપેટે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરના કરશનભાઈ મારખીભાઈ ચાવડા નામના આસામીએ પોતાની મોટર માટે આઈસીઆઈસીઆઈ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. વીમો ચાલુ હતો તે દરમિયાન ભાટિયા પાસે અકસ્માત નડતા મોટરને નુકસાન થયું હતું.
મોટર ટોટલ લોસ થાય તેટલું નુકસાન થયું હોવા છતાં વીમા કંપનીએ રૃા.૮ લાખની રકમ વળતર પેટે નહીં ચૂકવતા અને કલેઈમ રદ્દ કરતા કરશનભાઈએ જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૃા.૭ લાખ ૧૮ હજારની રકમ સાત ટકા વ્યાજ સાથે અને ત્રાસ બદલ વળતર, ફરિયાદ ખર્ચ પણ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag