Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના શાસનમાં આંદોલનો ભૂતકાળ બન્યા હોવાના દાવા પોકળ
દ્વારકા તા. ૧૩ ઃ આંદોલનો ભાજપના શાસનમાં ભૂતકાળ બની ગયા છે. તેવા દાવા પોકળ ઠર્યા છે. રેલવે સામે જામવંથલી પછી હવે દ્વારકા વિસ્તારની ગરીબોના રથ સમાન વિરમગામ-ઓખા ટ્રેન માટે પણ આંદોલન થશે. તેવા સંકેતો મળી રહ્યા છે.
દેશમાં કોરોના કાળમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ ટ્રેનો ફરીથી શરૃ કરવા આંદોલનનો શરૃ થયા છે. ત્યારે દ્વારકા-વિરમગામ વચ્ચે ત્રણ દાયકાથી ચાલતી ઓખા-વિરમગામ ટ્રેન જે ગરીબો તથા બીમાર દર્દીઓ માટે ગરીબ રથ સમાન છે તેને શરૃ કરવા વારંવારની રજુઆતો છતાં રેલવેતંત્ર પ્રયાસ શરૃ ન કરાતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા,ભાટીયા, દ્વારકા, ઓખા અને બેટ દ્વારકામાંથી આંદોલનના સુર સાથે વિરોધ વ્યકત થયો છે એક તરફ રેલવે તંત્ર વધુને વધુ સગવડતાઓ દ્વારકા-ઓખાના રેલવે સ્ટેશન ઉપર ઊભી કરી રહી છે, ત્યારે આ વિસ્તારની મહાત્વાકાંક્ષી આ ટ્રેનને શા માટે શરૃ કરવામાં આવતી નથી.
ટૂંક સમયમાં જો આ ટ્રેન શરૃ કરવા માટેની જાહેરાત નહીં થાય તો દ્વારકા યાત્રાધામમાંથી સૌરાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાનું અને તેમાં દ્વારકાની દરેક સામાજિક, ધાર્મિક, વેપારી અને સંસ્થાઓને સાથે જોડીને એક ન વિચારવામાં આવેલું આંદોલન શરૃ થાય તો નવાઈ નહીં રહે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag