Advertisement
Author: નોબત સમાચાર

ડબાસંગ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનનું આયોજન

૧ર૦ વર્ષ જુની જામનગર નજીકના

જામનમગર તા. રઃ જામનગર નજીક ડબાસંગમાં આવલ ડબાસંગ પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧ર૦ વર્ષ પૂર્ણ થયા છે. આ શાળામાંથી અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે.

શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સૌ પ્રથમ વખત યોજવામાં આવ્યું છે.

તા. ૪-૩-ર૦ર૩ ના દિને આખો દિવસ સ્નેહમિલન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ વાગ્યે ઢોલ-શરણાઈ સો ગ્રામ પ્રભાત યાત્રા, સવારે ૧૦ વાગ્યે શાળા સંકુલમાં પ્રવેશ, ૧ર૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૧ર૦ બલુનનું આકાશમાં ઊડ્ડયન, ૧૦-૩૦ વાગ્યે સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ફોટો આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં મહાનુભાવોના હસ્તે સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ સમારોહની પ્રથમ બેઠકમાં સવારે ૧૧ વાગ્યે રૃપેશભાઈ શાહ (કન્વીનર, સ્નેહમિલન સમિતિ) દ્વારા સ્વાગત, શાળાના વિકાસનો તથા ભાવિ ભાવિ રૃપરેખાનો અહેવાલ શાળાના આચાર્ય જગદીશભાઈ બારોટ દ્વારા રજૂ કરવામાં આવશે. શાળાના તમામ બાળકોને સામૂહિક સ્મૃતિ ભેટ આપવામાં આવશે. દાતાઓ, વ્યક્તિવિશેષ પૂર્વ વિદ્યાર્થીઓ, સિદ્ધિ પ્રાપ્ત વર્તમાન વિદ્યાર્થીઓ, માનદ્ સેવા આપનાર વ્યક્તિઓનું અભિવાદન કરવામાં આવશે.

બપોર પછીની બીજી બેઠકમાં બપોરે ર વાગ્યે પૂર્વ શિક્ષકો, પૂર્વ આચાર્યોનું સન્માન, સરપંચનું ઉદ્બોધન, પૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવ, સાંજે ૭-૩૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના બાળકો રજૂ કરશે. રાત્રે ૧૦ વાગ્યે દાતાઓ તથા વર્તમાન શિક્ષકોનું સન્માન કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh