Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની રર૩ ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન

મુદ્ત પૂરી થઈ ગઈ હોવાથી

જામનગર તા. રઃ જામનગર જિલ્લાની રર૩ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન અંગે જરૃરી આદેશ આપવામાં આવ્યા છે. અગાઉ તેમજ ચાલુ માસમાં આ ગ્રામ પંચાયતોની મુદત્ પૂર્ણ થઈ રહી છે.

રાજ્યમાં ગત્ જુલાઈ ર૦રર થી મુદ્ત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતો તથા તાજેતરમાં વિભાજનથી અસ્તિત્વમાં આવેલ નવી ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા પછી આ ગ્રામ પંચાયતોની નવેસરથી રચના થાય અને પ્રથમ બેઠક મળે તયાં સુધી પંચાયતની કલમ હેઠળ ફરજ બજાવતા/ચાર્જ સંભાળતા તલાટી-કમ-મંત્રી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીને વહીવટદાર તરીકે નિમણૂક કરવા તથા આ અંગેના વિભાગવાર હુકમો કરીને સરકાર તેમજ સંબંધિતને તાત્કાલિક જાણ કરવા હુકમ કરાયો છે. ચાલુ માસમાં મહત્તમ ગ્રામ પંચાયતોની મુદ્ત પૂર્ણ થઈ રહી છે જ્યાં વહીવટદારની નિમણૂક કરવાનો આદેશ થયો છે.

જામનગર જિલ્લાના તમામ તાલુકાની રર૩ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh