Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. સંજીવભાઈ ચગનું દુઃખદ નિધન

જોગર્સપાર્કમાં વોકીંગ કરતી વેળાએ હૃદયરોગનો હુમલો ઘાતક બન્યો

જામનગર તા. રઃ જામનગરના નામાંકિત સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. સંજીવભાઈ વિનુભાઈ ચગનું આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે.

પ૭ વર્ષના સંજીવભાઈ તેમના નિત્યક્રમ પ્રમાણે આજે સવારે જોગર્સ પાર્કમાં વોકીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યા હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરજ પરના ડોકટરોએ તેમનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.

ડોે. સંજીવભાઈ ચગના નિધનથી જામનગરના તબીબીજગતમાં તેમજ રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh