Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર ઃ જામનગરના એક વેપારીને અઢાર વર્ષ પહેલા વીજચોરીના અપાયેલા બીલ અંગે વીજ કંપનીએ વસૂલાતનો દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે મંજૂર રાખ્યો છે.
જામનગરના હાલાર હાઉસ પાસે જય ભારત વુડન વર્કસ નામની ફેક્ટરી ચલાવતા પ્રકાશ કિશોરભાઈ મિસ્ત્રીને ત્યાં વર્ષ ૨૦૦૫માં વીજ કંપનીએ ચેકીંગ કરી આ આસામીને વીજ ચોરીનું બીલ આપ્યું હતું. તે રકમ ભરપાઈ કરવામાં ન આવતા વીજ કંપનીએ કોર્ટમાં વેપારી સામે દાવો કર્યાે હતો.
તે દાવો ચાલવા પર આવતા વેપારીએ લેબ. રોજકામમાં ખોટી સહી કરી ખોટી રીતે બીલ આપવામાં આવ્યું હોવાની દલીલ કરી હતી. બંને પક્ષો દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વીજચોરીનો આક્ષેપ સાબિત થતો હોવાનું ઠરાવી બીલની રકમ રૃા.૩૫,૧૨૧ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા વેપારીને હુકમ કર્યાે છે. વીજ કંપની તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag