Advertisement
Author: નોબત સમાચાર

ચાફકટર યોજના હેઠળ પાંચ પશુ ધરાવતા પશુપાલકોને રૃપિયા ૧૮ હજાર સુધીની સહાયઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ

ઘાસચારાની અછત નીવારવા, બગાડ અટકાવવા

ગાંધીનગર તા. રઃ ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાફકટર સહાય યોજના અમલમાં છે, આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૃા. ૧૮ હજાર સુધીની સહાય ચૂકવવામં આવે છે, તેમ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વિધાનસભામાં જણાવ્યું છે.

વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે ચાફકટર સહાય યોજના અંતર્ગત સુરત અને જુનાગઢ જિલ્લામાં ચૂકવાયેલા સહાય અને તેના ઉદ્દેશો અંગે માહિતી આપી હતી. જેમાં સુરત જિલ્લાના બીનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો માટે વર્ષ-ર૦રર અંતિત પપ.ર૬લાખ રૃપિયા, જ્યારે જુનાગઢ જિલ્લામાં આ તમામ કેટેગરીના ખેડૂતોને વર્ષ-ર૦રર અંતિત ૧પ.ર૮ લાખ રૃપિયા ચાફટર સહાય પેટે ચૂકવવામાં આવયા હોવાનું જણાવ્યું હુતં.

આર્થિક સહાય અંગેની આ યોજનાના હેતુઓ સ્પષ્ટ કરતા રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, ઘાસચારાને નાના-નાના ટૂકડા કરીને પશુઓને નીરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે, સાથે-સાથે પશુઓને સુપાચ્ય આહાર મળી રહે છે, જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો છે, જેથી પશુપાલકોની આર્થિક સુખાકારી વધે છે અને પશુઓનું સ્વાસ્થ્ય જળવાય રહે છે.

તેમણે યોજનાની સહાયના ધોરણો અંગે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને ૧૮ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવે છે. આ મટો યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વ્યક્તિએ આઈ-ખેડૂત પોર્ટલ પર કે પશુ દવાખાના પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીની સાથે રેશનકાર્ડ, સરકાર માન્ય ઓળખપત્ર, બેંક પાસબુકની નકલ કે કેન્સલ કરેલ ચેક જોડવાનો રહે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh