Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીએસએનએલ-ડોટ પેન્સનર્સ એસો. દ્વારા
જામનગર તા. રઃ કેન્દ્રિય બજેટમાં સિનિયર સિટીઝનને સેવીંગ સ્કીમમાં ૧પ લાખના બદલે ૩૦લાખ સુધીના રોકાણ અંગેની દરખાસ્તને આવકારી સિનિયર સિટીઝન સેવીંગ સ્કીમમાં ૮.પ ટકાનો વ્યાજદર આપવા કેન્દ્ર સરકારના નાણા વિભાગ સમક્ષ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.
મોદી સરકારના વર્ષ ર૦ર૩-ર૪ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં સિનિયર સિટીઝન માટે સેવીંગ સ્કીમમાં ૧પ લાખના બદલે ૩૦ લાખ સુધીના રોકાણની દરખાસ્તને સિનિયર સિટીઝનોએ આવકારી છે, સાથે જ સિનિ. સિટી.ને સેવીંગ સ્કીમમાં ૮.પ ટકા વ્યાજદર આપવામાં આવે તે માટે માંગણી છે. આ માટે પ્રધાનમંત્રી અને નાણામંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેમાં ઓલ ઈન્ડિયા બીએસએનએલ ડીઓટી પેન્સનર્સ એસો.ના ગુજરાત સર્કલના સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડ ક્વાટર્સના ઉપપ્રમુખ મનુભાઈ ચનિયારા દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં બેંક, પોસ્ટમાં સિનિયર સિટીઝનને ૮ ટકા વ્યાજ મળે છે. અગાઉ મનમોહન સરકારમાં નવ ટકા વ્યાજ આપવામાં આવતું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag