Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શ્રી મોઢવણિક સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. રઃ જામનગરના શ્રી મોઢ વણિક સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના સૌપ્રથમ અને અદ્યતન સુવિધાયુકત શ્રી મોઢ વણિક ભવનનું નિર્માણ કરવામાં આવતા તેમનું તાજેતરમાં શાસ્ત્રોકત વિધિથી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વલ્લભ આશ્રમ તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો.
મોઢ વણિક સમાજના સૌપ્રથમ ભવનના નિર્માણનું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અજિતભાઈ દેસાઈના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનની સાથે શ્રી મદ્ ભાગવત સપ્તાહ યોજવામાં આવી હતી. જેમાં વ્યાસપીઠ પર પ.પૂ. ગોવર્ધનેશજી મહોદયશ્રી (શ્રી દર્શન કુમારજી મહોદય) કડીવારાએ બિરાજીને કથાનું રસપાન કરાવ્યું હતું. સપ્તાહ દરમ્યાન શષ્ઠ પીઠાધીસ ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (કલ્યાણ પુષ્ટિ હવેલી વડોદરા) આશીવર્ચન આપવા ખાસ પર્ધાયા હતાં.
ભવનના અનાવરણના બીજા દિવસે શ્રીનાથજી મંદિરમાં રિતેશભાઈ ગાંધી (અમદાવાદ) દ્વારા મનોરથ કરાવાયો હતો. આ તકે શ્રી મોઢ વણિક સેવા સમાજના ટ્રસ્ટીઓ સર્વશ્રી રીતેશભાઈ ગાંધી, મુકેશભાઈ વરિયાવા, ધર્મેશભાઈ શેઠ, મનોજભાઈ મોદી, ચેરમેન કેતનભાઈ મારવાડી વિગેરેએ આ કાર્યને બિરદાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag