Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આગામી તા. ૫મી માર્ચે નિઃશુલ્ક જયોતિષ માર્ગદર્શન શિબિર

હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી

જામનગર તા. ૨: જામનગર હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તા. પ-૩-ર૩ ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી પંચેશ્વર ટાવર પાસે શ્રીમાળી જ્ઞાતિની બ્રહ્મપુરીમાં ૭૭મું અખિલ ભારતીય જયોતિષ મહાસંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં જયોતિષ આચાર્ય ડો. મહેન્દ્રભાઈ પંડયા (ઋષિરાજ) દ્વારા જયોતિષ તેમજ હસ્તેરખા, ટેરો અને વાસ્તુના વિદ્વાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તા. ૮ મી માર્ચના વિશ્વ મહિલા દિન નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર મહિલાઓનું સન્માન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે આશાબેન જોષી (૯૮૯૮૯ ૮ર૯રર), સુભાષભાઈ પરમાર (૯૩૭૭૯ ૩૯૬૩૩) તથા વધુ માહિતી માટે પ્રિતિબેન ઓઝા (૯૭ર૩૦૫૫૪૯૮), માધવીબેન ભટ્ટ (૯૪ર૭૭ ૭૦૩૭ર), સંજયભાઈ સુદાણી (૯૮ર૪ર ૦૭૧૩૦)નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh