Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા
ખંભાળીયા તા. રઃ રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા શિક્ષણમંત્રી તથા શિક્ષણ સચિવને પ્રશ્નો અંગે રૃબરૃ રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારોએ તેમના ત્રણ મહત્ત્વના પડતર પ્રશ્નોના નિકાલ અંગે અગાઉ રાજ્ય સરકારે આપેલી સહમતી તથા નિકાલ અંગેની ખાતરી બાબતે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, પ્રફુલભાઈ પાનસેરીયા તથા શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવને રૃબરૃ મળીને પ્રશ્નો અંગે તાકીદે પરિપત્ર કરીને યોગ્ય કરવા માંગ કરી હતી.
આચાર્ય સંઘના પ્રમુખ જે.પી. પટેલ અગ્રણીઓ ભરતભાઈ ચૌધરી, ભાનુભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ બાવરીયા તથા વિષ્ણુભાઈ પટેલ દ્વારા આ મંત્રીશ્રીઓ તથા રાજ્યના શિક્ષણ સચિવ સમક્ષ તાકીદે આચાર્યને ઈજાફાનો લાભ આપવો, પરિણામ આધારિત ગ્રાંટ નીતિ રદ કરવી તથા ૧-૪-ર૦૦પ પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા તથા આચાર્ય ભરતી અંગે ઝડપી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
આગામી સમયમાં આચાર્ય સંઘનું પ૧ મું અધિવેશન મળવાનું છે ત્યારે આ માંગ અંગે તાકીદે પરિપત્રોની રજુઆતો કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag