Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણના કેસમાં છૂટકારો

ખડધોરાજીના શખ્સ સામે નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા.ર ઃ કાલાવડના ખડધોરાજી ગામના એક શખ્સ સામે બે વર્ષ પહેલા સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયા પછી આ કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં રહેતા હિતેશ વિનુભાઈ મકવાણા ઉર્ફે ઘોઘા નામના શખ્સ સામે ડિસેમ્બર ૨૦૨૦માં એક સગીરાનું અપહરણ કરી નસાડી જવા અંગે પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કર્યુ હતું.

ઉપરોક્ત કેસ જામનગરની એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી હિતેશ મકવાણાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ એસ.એસ. શેખ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh