Advertisement
Author: નોબત સમાચાર

ગંગાનદીમાં નૌકાએ પલટી ખાતા ૪ ના મોતઃ અનેક લાપતાઃ રેસ્કયુ ચાલુ

ઉત્તરપ્રદેશના બલિયામાં દુર્ઘટના ઘટી

લખનૌ તા. ર૩ ઃ ઉત્તર પ્રદેશના બલિયામાં ગંગાનદીમાં નૌકાએ પલટી ખાતા ૪ ના મૃત્યુ થયા છે, અને ઘણાં લોકો લાપતા થયા છે રેસ્કયુ ચાલુ છે.

ઉત્તર પ્રદેશના બલિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ત્યાં ૪૦ લોકોથી ભરેલી નૌકા ગંગા નદીમાં પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થઈ ગયા છે અને બે ડઝનથી વધુ લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે. કેટલાક લોકો સ્વિમિંગ કરીને બહાર આવી રહ્યા છે.

આજે સવારે બલિયામાં બોટ અકસ્માત સર્જાયો હતો. ત્યાં ગંગા નદીમાં માલદેપુર ઘાટથી જઈ રહેલી એક નૌકા નદીની વચ્ચે પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે નૌકામાં લગભગ ૪૦ લોકો સવાર હતાં. ઘટના બાદ તરત જ ત્યાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે નૌકામાં મોટી સંખ્યામાં  લોકો સવાર હતાં. જેના કારણે નૌકા નદીની વચ્ચે પલટી ગઈ હતી. આ તમામ લોકો મુંડન સંસ્કારમાં સામેલ થઈ રહ્યા હતાં. નૌકા પલટી જતાં કેટલાક લોકો તરીને બહાર આવ્યા હતાં જ્યારે સ્થળ પર હાજર લોકોએ તરીને કેટલાક લોકોને બચાવ્યા હતાં. જેમને બહાર કાઢવામાં આવ્યા તેમની સારવાર ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh