Advertisement
Author: નોબત સમાચાર

ગ્રેઈન માર્કેટ, જુના કસ્ટમ હાઉસવાળા માર્ગને ડામર કાર્પેટીંગ કરવા રજૂઆત

જામનગર તા. ર૩ઃ ગ્રેઈન માર્કેટમાં ઐતિહાસિક ત્રણ દરવાજાનું રિનોવેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે, જે લગભગ સાડાપાંચ મહિના જેટલો સમય સુધી ચાલશે. આ કામ દરમિયાન ઉપરોક્ત ત્રણ દરવાજાને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

નાના વાહનચાલકો, ગાડાવાળા મજૂર, ટેમ્પોવાળા વગેરે માટે અવરજવરની છૂટ છે, પરંતુ સમસ્યા એ છે કે તરણ દરવાજા પૈકી માત્ર એક જ દરવાજો આવ-જા નો હોવાથી ટ્રાફિક જામ થાય છે.

આ સમસ્યાને હળવી કરવા જુના કસ્ટમ હાઉસવાળા રસ્તો કે જે સીધો જ બેડીગેઈટ, સુપરમાર્કેટ સામે નીકળે છે તે જો ડામર કારપેટ કરીને સમથળ બનાવી નાખવામાં આવે તો નાના વાહનચાલકો કે જેઓને ટાઉનહોલ તરફ જવું છે તેઓને મુશકેલી ન પડે અને વળી ટ્રાફિક જામ ન થાય. જામનગર રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંતભાઈ મશરૃએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ માર્ગને તાકીદે વ્યવસ્થિત કરવા રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh