Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીએ છેતરપિંડી-વિશ્વાસઘાતની નોંધાવી ફરિયાદઃ
જામનગર તા.૨૩ ઃ જામનગરના એક આસામીએ પોતાનું બેંક ખાતું બ્લોક થઈ ગયું હોવાનું જાણતો હોવા છતાં તે ખાતાના ચેક પર રૃા.૫ લાખ ૯૯ હજારની ઈલેકટ્રીક્સ ચીજ વસ્તુ ખરીદી લીધી હતી. ચેક પરત ફરતા વેપારીને તેની જાણ થઈ હતી. તેઓએ આ આસામી સામે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટી નજીક વસવાટ કરતા અને કોમલ ઈલેકટ્રોનિક્સ નામની દુકાન ચલાવતા સુનિલભાઈ ડાયાભાઈ દુધાગરા પાસેથી ગયા માર્ચ મહિનામાં મિનેશ અતુલભાઈ પિત્રોડા નામના આસામીએ રૃા.૫ લાખ ૯૯ હજારની કિંમતની ઈલેકટ્રો નિક્સની જુદી જુદી આઈટમ ખરીદી હતી.
આ વેળાએ મિનેશ પિત્રોડાએ રૃા.૫ લાખ ૬૦ હજારની રકમનો ચેક આપ્યો હતો અને બાકીના રૃા.૩૯ હજાર ચેક પાસ થયા પછી રોકડા આપી દેવાની વાત કરી હતી. તેની સાથે સંમત થયેલા સુનિલભાઈને તેમના પુત્રના નામનો મિનેશ પિત્રોડાએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં મુદ્દતે રજૂ કરાયો હતો.
આ ચેક મુજબનું બેંક ખાતું બ્લોક કરવામાં આવ્યું હોવાનું બેંક દ્વારા જણાવાતા પોતાનું બેંક ખાતું બ્લોક થયું હોવાનું જાણતા હોવા છતાં છેતરપિંડી કરવાના ઈરાદાથી મિનેશ અતુલભાઈ પિત્રોડાએ ચેક આપ્યો હોય તેની સામે સુનિલભાઈ દુધાગરાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ વી.કે. ગઢવીએ આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ નોંધાયેલા ગુન્હાની તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial