Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન સ્થિર: વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું

નગરજનો અસહ્ય ગરમીથી અકળાયાઃ

જામનગર તા. ર૩ઃ જામનગરમાં એક જ દિવસમાં ૧પ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકાએ પહોંચી જતા નગરજનો અસહ્ય બફારાથી અકળાઈ ઊઠ્યા હતાં. મહત્તમ તાપમાન કોઈ વધારા કે ઘટાડા વગર ૩૪.૮ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧પ ટકા વધીને ૮૭ ટકાએ પહોંચી ગયું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારાનું પ્રમાણ પણ વધી ગયું હતું. અસહ્ય બફારાથી નગરજનો અકળાઈ ઉઠ્યા હતાં. પંખા, એસી કે એરકૂલેરથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. સાંજે ધીમે-ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૪.૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. જ્યારે અડધા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh