Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીથી ત્રસ્ત પરિણીતાએ જીવતર ટૂંકાવ્યુંઃ
જામનગર તા.૨૩ ઃ ધ્રોલના સગાડીયા ગામના એક યુવતી પોતાના માવતરે આંટો મારવા આવ્યા હતા. ત્યાં તેઓએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે બીમારીથી ત્રસ્ત બની ગયેલા પરિણીતાએ ઝેરી પ્રવાહી પી જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ શરૃ કરી છે.
ધ્રોલ તાલુકાના સગાડીયા ગામમાં રહેતા જલ્પાબેન ભૂપતભાઈ બાંભવા નામના ત્રેવીસ વર્ષના ભરવાડ પરિણીતા જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા પોતાના પિતાના ઘેર આંટો મારવા આવ્યા હતા. તે દરમિયાન ગઈકાલે સાંજે જલ્પાબેને કોઈ અકળ કારણથી પોતાના પિતાના ઘેર ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને કિશનભાઈ લક્ષ્મણભાઈ ઝાપડાએ જાણ કરી છે. જોડિયાના પીએસઆઈ આર.ડી. ગોહિલે અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૃ કરી છે.
જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા નીતાબા કનકસિંહ ચૌહાણ નામના ત્રીસ વર્ષના પરિણીતા કોઈ બીમારીથી પીડાતા હતા. જેની બે વર્ષથી સારવાર લેવા છતાં સારૃં થતું ન હોય કંટાળી ગયેલા નીતાબાએ ગયા મંગળવારની રાત્રે ઘરમાં પડેલું કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધુ હતું. સારવારમાં ખસેડાયેલા નીતાબાનું ગઈકાલે મૃત્યુ થયાનું જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર એલ.કે. જાદવે જાહેર કર્યંુ છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial