Advertisement
Author: નોબત સમાચાર

ભરૃચ જિલ્લાના વાગરા તાલુકામાં કચ્ચિપુરા ગામે ઝેરી પાણી પી જતા રપ થી વધુ ઊંટના મોત

કસૂરવારો સામે પગલા- પીડિતોને વળતરની મંગણી

ભરૃત તા.ર૩ઃ ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના કચ્ચિપુરા ગામે કેમિકલયુકત ઝેરી પાણી પીવાના કારણે પચ્ચીસથી વધુ ઊંટના મોત નિપજ્તા અરેરાટી વ્યાપી ગઈ છે. અહીં વસતા લોકોની રોજીરોટીનું મુખ્ય સાધન ઊંટ છે ત્યારે ઊંટના ટપોટપ મૃત્યુ થતા પશુપાલકોને મુશ્કેલીમાં મૂકાયા છે.

સ્થાનિકો અનુસાર આ સૂકાભઠ વિસ્તારમાં કેમિકલ વેસ્ટ કયાંથી આવ્યું તે તપાસનો વિષય છે. અહીં એફલુઅન્ટની પાઈપલાઈન અથવા ઝેરી રસાયણિક કચરાનો નિકાલ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સ્થાનિકોએ આ સમગ્ર મામલે તંત્રને તપાસ હાથ ધરી કસૂરવારો સામે પગલા ભરવા અને પીડિતોને વળતર અપાવવા માંગ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh