Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩ઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ જામનગરના સહકારથી અને ગં.સ્વ. પાર્વતીબેન માનશંકર શુક્લ ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આગામી તા. ર૮ અને રવિવારે સાંજે ૪-૩૦ વાગ્યે યુવા સોશ્યલ ગ્રુપની ઓફિસ નંબર ૩ર૪, ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સથી ધો. ૧ થી ૧ર ના જામનગર-દ્વારકાના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તક અને રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ બે માર્કશીટની નકલ સાથે રાખવાની રહેશે. પરિણામ આવ્યું ન હોય તો પણ વિદ્યાર્થીને આ લાભ મળશે તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરેન ત્રિવેદી અને યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુનિલ ત્રિવેદીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial