Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ર૩ઃ પીએમ મોદી ડીગ્રી વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને અમદાવાદ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. તેથી કેજરીવાલ અને સંજયસિંહને ૭ જૂને કોર્ટમાં હાજર થવાનું રહેશે. આ પહેલા કોર્ટે કેજરીવાલ પર રપ,૦૦૦ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી વિવાદમાં દંડ ફટકાર્યા પછી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંહને સમન્સ પાઠવ્યા છે. બન્નેને ૭ જૂને કોર્ટમાં હાજર થવાનું રહેશે.
અરજીકર્તાના વકીલ અમિત નાયકે કહ્યું, '૧પ એપ્રિલે કોર્ટે બન્ને નેતાઓને કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. આજે તે અંગેની તારીખ હતી, પરંતુ સમન્સમાં વધુ સ્પષ્ટતા નથી, તેથી જજે આદેશ આપ્યો છે કે ફરિયાદની નકલો સાથે બન્ને નેતાઓને નવેસરથી સમન્સ જારી કરવામાં આવે છે. સુનાવણીની આગામી તારીખ ૭ જૂન થશે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial