Advertisement
Author: નોબત સમાચાર

આજથી બેંકોમાં ₹ ૨૦૦૦ની ચલણી નોટો બદલવાનું શરૂ

મુંબઈ તા. ર૬ઃ આજથી બેંકોમાં ₹ ર૦૦૦ ની ચલણી નોટો બદલવાની શરૂઆત થઈ ગઈ છે.

આજથી ₹ ર૦૦૦ ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ર૦૦૦ ની નોટો બેંકમાં જઈને બદલી શકાય છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, તે ર૩ મે થી ૩૦ સપ્ટેમ્બર સુધી ર૦૦૦ ની નોટ બેંકોમાં જમા કરાવી શકાશે. આ સિવાય તેમને બદલી પણ શકાય છે. એક સમયે માત્ર દસ જ નોટો બદલવામાં આવશે. નોટ એક્સચેનજ માટે કોઈ વધારાનો ચાર્જ કે ફી લેવામાં આવશે નહીં.

નવેમ્બર ર૦૧૬ માં પહેલીવાર ર૦૦૦ ની નોટો જારી કરવામાં આવી હતી. ₹ પ૦૦ અને ₹ ૧૦૦૦ ની નોટોની નોટબંધી પછી અર્થતંત્રમાં ચલણની જરૂરિયાતોને પહોંચી વળવા ₹ ર૦૦૦ ની નોટો જારી કરવામાં આવી હતી.

આરબીઆઈ એ કહ્યું છે કે, ૩૦ સપ્ટેમ્બર સુધી ર૦૦૦ ની નોટ જમા અથવા બદલી શકાશે, જો કે આરબીઆઈ એ સ્પષ્ટ કર્યું નથી કે આ પછી શું થશે. આ અંગે આરબીઆઈ નવી ગાઈડલાઈન જારી કરશે. આ અંગે આરબીઆઈ ગવર્નરે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને કહ્યું છે કે, આ ચલણી નોટો ચલણમાંથી સંપૂર્ણપણે હજુ રદ્ કરાઈ નથી, અને તેની કાનૂની માન્યતા (લીગલ ટેન્ડર) યથાવત્ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh