Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંઠીયા પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થ નથી
જામનગરમાં તળાવની પાળ પર પક્ષીઓનો જમાવડો હોય છે. શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ અહીં ડેરો જમાવે છે ત્યારે નાગરિકો પક્ષીઓને ચણ નાંખી અતિથિ સત્કારની સાથે પુણ્ય કમાવાની વિચારધારા ધરાવે છે પરંતુ ચણની સાથે પક્ષીઓને ગાંઠીયા પણ નાખવામાં આવી રહ્યા છે જે પ્રતિબંધિત છે તથા પક્ષીઓ માટે હાનિકારક છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે ખોરાકી ઝેરના કારણે સંખ્યાબંધ વિદેશી પક્ષીઓના મૃત્યુ નીપજ્યા હતાં. ત્યારે આ મુદ્દે તંત્રએ કડક થવાની જરૃર છે. ચણની સાથે ગાંઠીયાનું વેચાણ કરતા વેપારીઓ વિરૃદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેમજ લોકોએ પણ સમજવું જોઈએ કે ગાંઠીયા પક્ષીઓ માટે 'યલો પોઈઝન' સમાન છે. તંત્ર તથા પક્ષીવિદે આ માટે જાગૃતિ અભિયાન ચલાવે એવી પણ માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial