Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૮ઃ ખંભાળીયાના ગાયત્રી પરિવાર દ્વારા યોગેશ્વર નગરમાં આવેલા ગાયત્રી માતાજીના મંદિરે પ્રત્યેક માસની સાત તારીખે આંખના રોગ માટે નિદાન, સારવાર તથા ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવે છે. સાત વર્ષથી નિયમિત રીતે ચાલતા આ કેમ્પમાં અત્યાર સુધીમાં ૭પ જેટલા કેમ્પમાં પાંચેક હજાર દર્દીઓના મોતીયાના ઓપરેશન વિનામૂલ્યે કરાવી આપ્યા છે. આંખના અન્ય રોગો બાબતે પણ વિનામૂલ્યે નિદાન તથા સારવાર અપાય છે. ગાયત્રી પરિવારના ભાઈ-બહેનોની ટીમ દ્વારા સાત વર્ષથી ચાલતા આ સેવાયજ્ઞમાં દર્દીઓને સારવાર સાથે ભોજનની વ્યવસ્થા કરીને રણછોડદાસજી દ્વારકાના સહયોગથી ખંભાળીયાથી રાજકોટ લઈ જવા મુકવાની પણ વિના મૂલ્યે સેવા કરીને મોતીયા ઓપરેશનો થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial