Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮ઃ જામજોધપુરના સડોદરમાં શુક્રવારે રાત્રે કેટલાક યુવાનોએ ટોર્ચના અજવાળે સિંહણ કે દીપડા જેવું કોઈ જંગલી જનાવર જોયું હોવાની વન વિભાગને જાણ કરાયા પછી હરકતમાં આવેલા વન કર્મચારીઓએ શરૃ કરેલી તપાસમાં જામજોધપુરના સડોદરથી ૧૫ કિ.મી. દૂરથી સિંહણના પગલાના નિશાનો શોધી કાઢી આ પંથકમાં બે સિંહણ આવી ચઢી હોવાનું સ્વીકાર્યું છે. બંને સિંહણને પાંજરે પુરવા માટે તજવીજ કરાઈ રહી છે.
જામજોધ૫ુર તાલુકાના સડોદરમાં દીપડો કે તેના જેવા કોઈ રાની પશુએ ધામા નાખી ગાયો તથા બળદના મારણ કર્યાની ચાલી રહેલી ચર્ચા દરમિયાન સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિરથી ૨૫ કિ.મી. દૂર રાની પશુના કેટલાક નિશાનો મળી આવતા આ પંથકમાં સિંહણે ધામા નાખ્યાનું બહાર આવ્યું છે.
વનવિભાગ દ્વારા શરૃ કરાયેલી તપાસમાં સડોદર પાસે શુક્રવારે રાત્રે કેટલાક યુવાનો રાત્રિરોન કરી રહ્યા હતા ત્યારે એક સ્થળે સિંહણ જેવું જંગલી જનાવર જોવા મળ્યું હતું. ટોર્ચના અજવાળે તે પશુને જોયા પછી યુવાનોએ કરેલા હાકલા પડકારાથી સિંહણ જેવું તે જનાવર મંથર ગતિએ જતું રહ્યું હતું. તે પછી વનવિભાગે શરૃ કરેલી તપાસમાં ગઈકાલે જામનગરના વન અધિકારીએ જામજોધપુર તેમજ કાલાવડ પંથકમાં બે સિંહણ આવી ચઢી હોવાનું જણાવ્યું છે.
બંને સિહણને પાંજરે પુરવા માટે વનવિભાગના કર્મચારીઓ દ્વારા પાંજરા મુકવા સહિતની કામગીરી શરૃ કરવામાં આવી છે. તે દરમિયાન આ પંથકમાં વસવાટ કરતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial