Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સ નસાડી ગયાની વ્યક્ત કરાઈ શંકાઃ
જામનગર તા. ૮ઃ જામનગરના એરફોર્સ-૧ના ગેઈટ પાસેથી ત્રણેક દિવસ પહેલા સવારના સમયે એક પરપ્રાંતીય પરિવારની પુત્રી ભેદી સંજોગોમાં લાપત્તા બન્યા પછી તેણીની કરાઈ રહેલી શોધખોળમાં આ તરૃણીને લગ્નની લાલચ આપી એક શખ્સ નસાડી ગયો હોવાની વિગત ખૂલતા તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે અપહરણનો ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક આવેલા ભક્તિનગર વિસ્તારમાં વસવાટ કરતા એક પરપ્રાંતિય પરિવારની ૧૫ વર્ષ અને ૧૧ મહિનાની પુત્રી ગઈ તા.૪ની સવારે સાડા સાતેક વાગ્યે એરફોર્સ-૧ ગેઈટ પાસેથી ક્યાંક ચાલી ગઈ હતી.
તેણીના પરિવારે પુત્રીની તપાસ શરૃ કર્યા પછી મહાકાળી સર્કલ નજીક રાવલીયાવાસમાં રહેતો રવિરાજ અજયભાઈ ગોહિલ ઉર્ફેે લાપુસીયો નામનો શખ્સ આ તરૃણીને લગ્નની લાલચ આપીને નસાડી ગયો હોવાની વિગત મળતાં આ તરૃણીના વાલીએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તરૃણીનું અપહરણ કરી જવા અંગે પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial