Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮ઃ જામનગરની રાજલક્ષ્મી બેકરી વાળા પિતા-પુુત્રએ સમગ્ર લોહાણા જ્ઞાતિને અનુલક્ષીને બેફામ વાણી વિલાસ કરતા તેની સામે કડક કાર્યવાહીની માગણી કરતા આવેદનપત્ર ઠેર ઠેર આપવામાં આવી રહ્યા છે. તે દરમિયાન કલ્યાણપુર તથા ઓખાના લોહાણા મહાજને પણ શનિવારે આવેદન આપ્યા હતા. પોરબંદર પોલીસે આ બાબતના નોંધાયેલા ગુન્હામાં બંને શખ્સની ધરપકડ કરી છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા રાજલક્ષ્મી બેકરીવાળા મનુ ખેતવાણી તથા તેના દીકરા હર્ષ ખેતવાણીએ પોરબંદરના તન્મય કારીયા નામના વેપારી સાથે હિસાબની લેતીદેતીના મામલે થઈ રહેલી વાતચીત દરમિયાન સમગ્ર લોહાણા જ્ઞાતિને બેફામ ગાળો ભાંડ્યાના વાયરલ થયેલા ઓડિયો ક્લિપ પ્રકરણમાં રાજ્યભરમાં વસવાટ કરતા લોહાણા જ્ઞાતિજનોમાં ભારે રોષની લાગણી પ્રજવળી છે.
તે દરમિયાન શનિવારે જામ કલ્યાણપુર લોહાણા મહાજન તથા ઓખા લોહાણા મહાજન દ્વારા આ શખ્સ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
તે પછી પોરબંંદરથી મળતા અહેવાલ મુજબ આ શખ્સો સામે પોરબંદરના કમલા બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ બાબતના ગુન્હામાં ત્યાંની પોલીસે મનુ ખેતવાણી તથા હર્ષ ખેતવાણીની શનિવારે ધરપકડ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial