Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૩૦ હજાર રોકડા તથા રિક્ષા કરી લેવાયા ઝબ્બેઃ
જામનગર તા. ૮ઃ જામનગરના એક આસામીની રૃા.૩૦ હજારની રોકડ રિક્ષામાં જતી વખતે ચોરાઈ ગઈ હતી. તે ગુન્હાની તપાસમાં રહેલી પોલીસે એસટી ડેપો પાસે પાર્કિંગમાં પડેલી તે રિક્ષાના સગડ શોધી કાઢ્યા પછી બે શખ્સની ધરપકડ કરી ચોરીમાં ગયેલી રોકડ તથા રિક્ષા કબજે કરી લીધા છે.
જામનગરના એક આસામી રિક્ષામાં જતા હતા ત્યારે તેમની રૃા.૩૦ હજારની રકમ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ગુન્હાની તપાસ સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી.
તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના યોગેન્દ્રસિંહ, મહિપાલસિંહ, રાજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, આ રિક્ષામાં એસટી ડેપો બહાર પાર્કિંગમાં પડી છે. તે બાતમીના આધારે ધસી ગયેલી પોલીસે જીજે-૬-એડબલ્યુ ૨૧૪૧ નંબરની રિક્ષા કબજે કરી હતી. તે રિક્ષાના ચાલક સાતરસ્તા નજીક રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘના રમણીક મકવાણા તથા અંબર ચોકડી પાસે રહેતા સંજય ઉર્ફે સંજલા ગોવિંદ વાઘેલાની પૂછપરછ કરતા આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી રૃા.૩૦ હજાર કાઢી આપ્યા છે. પોલીસે રોકડ તથા રૃા.૬૦ હજારની રિક્ષા કબજે કરી બંનેની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial