Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેઠવડાળામાં શ્રમિકનો મોબાઈલ પડી ગયોઃ
જામનગર તા. ૮ઃ જામનગરના એસટી ડેપોમાં સપ્તાહ પહેલાં બસની રાહ જોઈને બે નંબરના પ્લેટફોર્મ પાસે ઉભેલા એક વેપારીના ખિસ્સામાંથી કોઈ શખ્સ રૃા.૧૫ હજારનો મોબાઈલ સેરવી ગયો છે. જ્યારે શેઠવડાળામાંથી દરણું દરાવીને જતાં ખેત મજૂરનો મોબાઈલ ક્યાંક પડી ગયા પછી તે મોબાઈલ ચોરાયાની ફરિયાદ કરાઈ છે.
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા મહાવીર એવન્યુમાં વસવાટ કરતા મહેશભાઈ ઓધવજીભાઈ ખુવા નામના સિંધી વેપારી ગઈ તા.૩૧ની સવારે નવેક વાગે બસમાં બહારગામ જવા માટે સુમેર કલબ રોડ પર આવેલા એસટી બસ સ્ટેન્ડમાં આવ્યા હતા. ત્યાં તેઓ બસની રાહ જોઈને પ્લેટફોર્મ નં.ર પાસે ઉભા હતા.
આ વેળાએ તેમના પેન્ટના કિસ્સામાંથી કોઈ શખ્સ એમઆઈ કંપનીનો રૃા.૧૫ હજારની કિંમતનો મોબાઇલ સેરવી ગયા હતા. તેની થોડીવાર પછી જાણ થતા મહેશભાઈએ મોબાઈલ શોધવાનો પ્રયત્ન કર્યા હતો પરંતુ મોબાઈલ ન મળી આવતા તેઓએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના જસાપર ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના પાનમ ગામના રમેશ રામસીંગ કટારા નામના શ્રમિક દરણું દરાવવા માટે શેઠવડાળા આવ્યા હતા. જ્યાંથી દરણું લઈને પરત જતી વખતે તેમના ખિસ્સામાંથી વીવો કંપનીનો રૃા.૧૩ હજારની કિંમતનો મોબાઈલ ક્યાંક પડી ગયો હતો. તેઓએ આ મોબાઈલની ચોરી કરવા અંગે અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial