Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાના ઘેર ઉપરના માળે જઈ ભરી લીધુ પગલુંઃ
જામનગર તા. ૮ઃ જામનગરના ગુલાબનગર નજીકના રવિપાર્કમાં પિતાના ઘેર આવેલા એક પરિણીત યુવતીએ શનિવારે સાંજે પતિ સાથે થઈ રહેલી ટેલિફોનિક વાતમાં કોઈ બાબતથી માઠું લાગી આવતા ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારથી આગળ આવેલા રવિપાર્કમાં રહેતા સલીમભાઈ અલીભાઈ સૈયદ નામના પ્રૌઢની વીસ વર્ષની પુુત્રી સિમરન ચાંદમુસ્તાક સૈયદ પિતાના ઘેર આવી હતી.
આ યુવતી શનિવારે રાત્રે નવેક વાગે પોતાના પિતાના ઘેર ઉપરના માળે જઈને પતિ સાથે ફોનમાં વાત કરતી હતી. વાત કરતી વખતે કોઈ બાબતે તેણીને માઠું લાગી આવતા સીમરને રૃમનો દરવાજો અંદરથી બંધ કર્યા પછી છતમાં રહેલી પતરાની આડીમાં રાખવામાંં આવેલા પાઇપમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની થોડીવાર પછી પરિવારને જાણ થઈ હતી. સીમરનને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેણીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરી હતી. પિતા સલીમભાઈએ પોલીસને આ બનાવથી વાકેફ કરી છે. પીએસઆઈ કે.એન. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial