Advertisement
Author: નોબત સમાચાર

બેડીના ગરીબનગરમાં સરકારી ખરાબામાં બે શખ્સે મકાન બનાવતા લેન્ડ ગ્રેબિંગની રાવ

ચાર વર્ષ પહેલાં સરકારી જમીન પર કર્યું દબાણઃ

જામનગર તા. ૮ઃ જામનગરના બેડી નજીકના ગરીબનગર પાણાખાણમાં આવેલા સરકારી ખરાબામાં ચાર વર્ષ પહેલાં બેડીના બે શખ્સે પોતાના રહેણાંક મકાન બનાવી નાખતા બંને સામે સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બની લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના બેડીબંદર વિસ્તારમાં આવેલા ગરીબનગર પાણાખાણ પાસે રે.સ.નં.૪૦માં આવેલી જમીનમાં સરકારી ખરાબામાં વર્ષ ૨૦૧૯થી બે શખ્સે રહેણાંક મકાન બનાવી લીધા હતા. જેની તંત્રને જાણકારી મળી હતી.

ત્યારપછી શરૃ કરાયેલી તપાસ દરમિયાન લેન્ડ ગ્રેબિંગ સમિતિએ ચકાસણી કરતા બેડીના ઢાળીયા પાસે રહેતા ઈમ્તિયાઝ નુરમામદ સાયચા તથા સિકંદર નુરમામદ સાયચા નામના શખ્સોએ આ જગ્યા પોતાની માલિકીની ન હોવા છતાં અને સરકારી ખરાબો હોવાનું જાણતા હોવા છતાં તેમાં મકાન બનાવી લીધાનું જણાઈ આવ્યું હતું.

ત્યારપછી શનિવારે સાંજે જામનગરની શહેર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ કે. જાદવે ખૂદ ફરિયાદી બની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ઈન્ચાર્જ ડીવાય એસપી ડી.પી. વાઘેલાએ તેની તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh