Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેમ એ સ્વીકારવાનો સોદો છેઃ ભક્તિ માર્ગે આગળ વધીએઃ માતા સુદીક્ષાજી
જામનગર તા. ૮ઃ 'પ્રેમ એ સ્વીકારવાનો સોદો છે, નહિં કે અવગણવાનો' જ્યારે આપણને આવો અનુભવ થઈ જાય છે ત્યારે તમામ બંધનોમાંથી મુક્ત થઈને ભક્તિના માર્ગ પર આગળ વધી શકીએ છીએ.
આ ઉદ્ગાર નિરંકારી સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજે નવા વર્ષના પાવન અવસર પર આયોજિત વિશેષ સત્સંગ સમારોહમાં ઉપસ્થિત હજારો ભક્તોને સંબોધિત કરતા વ્યક્ત કર્યા. વર્ષ ર૦ર૪ ના શુભારંભ પર આયોજિત વિશેષ સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા માટે હજારો ભક્તોએ લાભ લઈ સદ્ગુરુના દિવ્ય દર્શન અને પવિત્ર પ્રવચનોથી પોતાને લાભાન્વિત કર્યા.
આ અવસરે નિરંકારી રાજપિતાજી રમીતજીએ સત્સંગીઓને સંબોધિત કરતા કહ્યું કે, 'નિરાકાર પરમાત્મા ઉપર આપણી આસ્થા અને શ્રદ્ધા અન્ય કોઈના કહેવાથી નહીં, પરંતુ આપણા અંગત આધ્યત્મિક અનુભવ પર આધારિત હોવી જોઈએ.' અંતમાં સદ્ગુરુ માતાજીએ નવા વર્ષના અવસર પર બધા માટે શુભકામના કરતા આશીર્વાદ આપ્યા કે આ નવા વર્ષમાં આપણા બધાનું જીવન સેવા, સિમરન, અને સત્સંગથી સજાવીએ. નવા વર્ષ નિમિત્તે સદ્ગુરુના આ અનમોલ વચન વાસ્તવિક્તામાં સમગ્ર માનવતા માટે એક વરદાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial