Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા પછી નાસી ગયેલો આરોપી ઝડપાયો

પેરોલ પર મુક્ત થયો હતોઃ

જામનગર તા.૮ : જામનગરના એક શખ્સને ચેર પરતના કેસમાં સજા પડ્યા પછી પેરોલ પર મુક્ત થઈ આ શખ્સ પલાયન થઈ ગયો હતો. તેને જામનગર સ્થિત સંબંધીના ઘેરથી પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો છે.

જામનગરના ચિરાગ રાજેશભાઈ ઠાકર નામના શખ્સને થોડા વખત પહેલાં ચેક પરત કેસમાં સજા ફટકારવામાં આવી હતી. ત્યારપછી ચિરાગને સજા કાપવા માટે રાજકોટની મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારપછી ઉપરોક્ત શખ્સ પેરોલ પર મુક્ત થઈ નાસી ગયો હતો. તેની શોધખોળ કરાતી હતી. તે દરમિયાન જામનગરની પેરોલ ફર્લો સ્કવોડને જામનગરમાં પોતાના સંબંધીના ઘેર આ શખ્સ આવ્યો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે ત્યાં ધસી જઈ આરોપીની અટકાયત કરી લઈ તેને ફરીથી રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh