Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીકના ફાટક કાયમ અડધો કલાક બંધ રખાતા હાલાકી

રેલવે સિસ્ટમ કઈ સદીમાં કામ કરે છે

જામનગર તા. ૮: જામનગરમાં રોઝી બંદર માર્ગ પરનું રેલવે ફાટક ટ્રેન પસાર થવાનાં સમયે અડધો કલાક બંધ રાખવામાં આવતું હોવાથી લોકો ટ્રાફિક જામમાં ફસાય છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રેલવેમાં અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે.

જામનગરનાં રોઝી બંદર માર્ગ પર રેલવે ફાટકને ટ્રેનનાં આવા ગમન સમયે બંધ કરવામાં આવે છે તે જરૂરી છે. તેનો કોઈ વિરોધ હોઈ શકે નહીં પરંતુ આ ફાટક અડધો કલાક થી વધુ સમય માટે બંધ રાખવામાં આવતું હોવાથી વાહન ચાલકોને રાહ જોવી પડી રહી છે અને આ સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

રેલવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર થી ગુડઝ ટ્રેન રવાનાં થાય ત્યારે જ રોઝી બંદર માર્ગેનું ફાટક બંધ કરી દેવામાં આવે છે. અહિની ગોળાઈ થોડી કઠીન હોવાથી ટ્રેન સાવ ધીમી ગતિએ ચાલે છે. અને ફાટક સુધી પહોંચતા જ તેને દસ થી પંદર મિનિટનો સમય લાગે છે અને ફાટક ક્રોસ કર્યા પછી જ્યારે વીન્ડ મીલ ટ્રેન પહોંચે અને ત્યાંથી સંદેશો મળે તે પછી જ રોઝી બંદરનું ફાટક ખોલવામાં આવે છે. આમ ફાટકથી બંદર એટલે કે વીન્ડ મીલ સુધી ૫હોંચતા બીજો દસ થી પંદર મિનિટનો સમય થાય છે આમ કુલ અડધો કલાક આ ફાટક બંધ રહે છે. જે આજનાં અત્યાધુનિક સંદેશા વ્યવહારમાં સમયમાં ઉચિત નથી. આથી આ કાર્ય પદ્ધતિમાં રેલવે બાબુઓએ ફેરફાર કરવો જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહી છે. આજના સમયમાં અડધો કલાક તડકામાં સેકાવું કોઈ વાહન ચાલકને પોસાય તેમ નથી. આથી સત્વરે આ સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh