Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધકારમાં નિદ્રાધીન શ્રમિકો પર કાળ ત્રાટક્યોઃ
જામજોધપુર તા.૮ : જામજોધપુર નજીક વાડી વિસ્તારમાં ગઈરાત્રે એક ખેતરે ચાલી રહેલા બોરવેલના કામ વેળાએ અંધકારમાં નિદ્રાધીન બે પરપ્રાંતીય શ્રમિક પર બોરવેલની ગાડી ફરી વળતા બંનેના મૃત્યુ નિપજ્યા છે.
જામજોધ૫ુર નજીક આવેલા વાડી વિસ્તારમાં ગઈ રાત્રે એક ખેતરમાં બોર કરવા માટે કામગીરી કરાઈ રહી હતી. જેમાં બોરવેલની એક ગાડી આવી હતી.
તેમાં કામ કરી રહેલા આશારામ સેનાની (ઉ.વ.૧૫) તથા દેવીસિંગ (ઉ.વ.૧૯) નામના બે પરપ્રાંતીય શ્રમિક કામ કર્યા પછી વાડીમાં નિદ્રાધીન થયા હતા. તે પછી બીજી ગાડી પણ બોરીંગ માટે મંગાવવામાં આવી હતી.
આ ગાડીના ચાલકે ખેતરમાં ગાડી લીધા પછી અંધારામાં સૂઈ રહેલા આશારામ તથા દેવીસિંગ પર બોરવેલની ગાડી ફરી વળતા બંનેના ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial