Advertisement
Author: નોબત સમાચાર

સંતશ્રી દેશળ ભગતની ૯૭મી નિર્વાણ તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ

જામનગર તા. ૮: શ્રી દેશળદેવ એજ્યુકશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (નવાગામ ઘેડ) દ્વારા તા. ૧૦-૪-ર૦રપને ગુવારના પ.પૂ. સંત શ્રી દેશળ ભગતની ૯૭મી નિર્વાણતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯:૩૯ વાગ્યે પૂજા, ૧૦ વાગ્યે ધ્વજારોહણ, સાંજે પાંચ વાગ્યે અન્નકૂટ દર્શન તેમજ સાંજે ૭ વાગ્યે મહા આરતી યોજાશે. આ કાર્યક્રમ શ્રી દેશળદેવ હોલ, મધુવન સોસાયટી, નવાગામ ઘેડ, જામનગરમાં યોજાશે. તેમજ મહા પ્રસાદનું પણ સાંજે ૭:૩૦ કલાકથી તળપદા કોળી સમાજની વાડી, નવાગામ ઘેડ, જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે જામનગર શહેરના હાપા, ગુલાબનગર, લાલવાડી, રાજપાર્ક સહિતના વિસ્તારોના રજપૂત ખવાસ સમાજને પધારવા માટે ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ડી. ચાવડા તેમજ તમામ ટ્રસ્ટી મંડળે આમંત્રણ પાઠવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh