Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એડવોકેટ્સ એન્ડ લીગલ એસો. દ્વારા 'વન નેશન વન ઈલેક્શન' અન્વયે કાર્યક્રમ

મોટીવેશનલ સ્પીકર સંજય રાવલનું વિશેષ વક્તવ્યઃ

જામનગર તા. ૮: જામનગર એડવોકેટ્સ એન્ડ લીગલ એસોસિએટ્સ દ્વારા 'વન નેશન વન ઈલેક્શન' અન્વયે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

ચૂંટણી એટલે લોકાશાહીનું પર્વ, પણ આ પર્વ સમયે લાખો માનવ કલાકો, ખરબો રૂપિયા અને અર્થતંત્ર કામે લાગતું હોય છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારએ નિરક્ષણ કર્યું કે વારંવાર અનિયમિત રીતે થતી ચૂંટણીઓથી દેશ અને દેશની પ્રજાને પ્રત્યેક્ષ કે પરોક્ષા અનેક નુક્સાન થઈ રહ્યું છે. લાખો માનવ કલાકો, આચારસંહિતાનો સમય-ગાળો, ચૂંટણી પાછળ ખર્ચાતા નાણા વગેરેને ધ્યાને રાખી 'વન નેશન વન ઈલેક્શન'ની નીતિ લાગુ કરવા નિર્ધાર કર્યો. આ તબક્કે પ્રજા પાસે જઈ મંતવ્યો લેવામાં આવશે તથા એક નિષ્પક્ષ કમ દ્વારા તેનું પૂરૃં મૂલ્યાંકન કરી આ નીતિ કરવા દેશ ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં મુખય વક્તા તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે વિશેષ વક્તવ્ય રજૂ કર્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત રહેલા સાંસદ પૂનમબેન માડમ તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગરના શ્રેષ્ઠીઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, વેપારી સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને 'વન નેશન વન ઈલેક્શન'ના અભિયાનને સમર્થન આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh