Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ સેન્ટરમાં સવારે આઠ વાગ્યાથી પ્રારંભઃ
જામનગર તા.૮ : જામનગરના ઓશવાળ સેન્ટરમાં આવતીકાલે સમૂહ નવકાર મહામંત્રના જાપ તથા સમૂહ નવકારશીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં કાર્યરત જૈનોની સંસ્થા જેઆઈટીઓ (જીતો) દ્વારા આવતીકાલે વિશ્વના ૧૦૮ દેશમાં વિશ્વ કલ્યાણના અર્થે નવકાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલના દિવસને વિશ્વ નવકાર મહામંત્ર દિવસ જાહેર કરાવવા માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે ત્યારે ગુરૂ ભગવંતોની નિશ્રામાં આવતી કાલે સવારે આઠ વાગ્યે ઓશવાળ સેન્ટરની પગારી નં.૧માં સમૂહ નવકાર મહામંત્ર જાપ તથા સમૂહ નવકારશીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પુરૂષોને સફેદ વસ્ત્ર તથા મહિલાઓને લાલ વસ્ત્ર ધારણ કરી પધારવા માટે કામદાર કોલોની જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, જીઆઈડીસી જૈન સંઘ, સાધના કોલોની-દિગ્વિજય પ્લોટ, મેહુલનગર, ઓશવાળ ટાઉનશીપ જૈન સંઘ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial