Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ તથા ત્રણ સરકારી હોસ્પિટલો સહિત ૧૨૬નો મેડિકલ સ્ટાફ ખડેપગે રહ્યોઃ
ખંભાળિયા તા. ૮: દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા માનવસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત યોજવામાં આવેલ અદ્ભુત 'રકત યજ્ઞ-૨૦૨૫' માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત થયું હતું.
આપના એક ટીપાં લોહીથી જો કોઇની જીંદગી બચાવી શકાતી હોય તો આ મનુષ્ય જીવનમાં આપનું એક વીરતાપૂર્વકનું યોગદાન માનવામાં આવે છે. આ પ્રકારના માનવ સંવેદનના સાથે જોડાયેલ હકીકતને નજર સમક્ષ રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તા.૦પ/૦૪/ર૦રપના રોજ ખંભાળીયા તેમજ દ્વારકામાં એક અદ્ભુત મેગા બ્લ્ડ ડોનેટ કેમ્પ '' રકતદાન-૨૦૨૫'' નુ આયોજન કરી ઐતિહાસિક કુલ ૨૬૫૧ જેટલી યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયા જેવી ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા લોકો કે જેઓને સમયાંતરે સારવારના ભાગરૂપે બ્લડની જરૂરિયાત રહેતી હોય છે. આવા જરૂરિયાતમંદ બીમાર લોકોને સરળતાથી બ્લડ મળી શકે અને તેઓની જીંદગી બચાવી શકીએ તો તે આપણા માટે એક ગૌરવની વાત કહી શકાય. આવા જ એક સમાજપયોગી અભિગમને સાર્થક રૂપ બનાવવા તેમજ માનવસેવાના પ્રયત્નના ભાગરૂપે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સા. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન અને સુચનાથી તા. ૦પ-૦૪-ર૦રપના ખંભાળીયા ટાઉન હોલ ખાતે તેમજ દ્વારકા સનાતન આશ્રમ જાણકાર તજજ્ઞ અને અનુભવી ડો. લક્ષ્મણ કનારા, ડો. પ્રકાશ ચંડેગરા તથા ડો.શ્રી અનુજા તેરાપલ્લી, ડો. નલીન સુમેસરાની ગાઇડ લાઇન મુજબ સુગમતાપૂર્વકની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ. આ મહા રકતદાન કેમ્પ એટલે કે ''રકત યજ્ઞ-૨૦૨૫ '' નુ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન જામનગરના સહયોગથી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ના.પો.અધિ. હાર્દિક પ્રજાપતિ, ના.પો.અધિ. સાગર રાઠોડ, ના.પો.અધિ. વિસ્મય માનસેતા તથા પો.ઇન્સ. કે.કે.ગોહિલ, એલ.સી.બી., પો.ઇન્સ. પી.સી.સીંગરખીયા એસ.ઓ.જી., પો.ઇન્સ. બી.જે.સરવૈયા ખંભાળીયા પોલીસ સ્ટેશન, પો.ઇન્સ. ડી.પી. ભટ્ટ દ્વારકા પોલીસ સ્ટેશન, પો.સ.ઇ. યુ.બી.અખેડ કલ્યાણપુર પોલીસ સ્ટેશનનાઓ દ્વારા અથાગ પરીશ્રમ દાખવવામાં આવેલ જેના પરિણામ ફલ સ્વરૂપ સમાજના વિવિધ વર્ગ-ધર્મ- જાતિના પુરૂષ- મહિલાઓ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ, હોમગાર્ડઝ, જી.આર.ડી., ટી.આર.બી.ના જવાનો તથા નેવી, બી.એસ.એફ., કોસ્ટગાર્ડ, એમ.ટી.એફ. ફોર્સના જવાનો તથા બિનસરકારી સંસ્થાઓ, હોટલ એસોશિએશન, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ સંતો-મહંતો, દ્વારકાધીશ મંદીરે પધારેલ દર્શનાર્થીઓ વિગેરે આ માનવસેવારૂપી મહા રકતદાન કેમ્પમાં જોડાયેલ.
ખાસ કરીને પાકિસ્તાનથી કુલ ૧૧ લોકો ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતાં. જેઓને આ રકત યજ્ઞ-૨૦૨૫ની જાણકારી થતા જ તેઓએ દ્વારકા મેગા રકતદાન કેમ્પની મુલાકાત લઇ પોતાની સ્વેચ્છાએ રકતદાન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.
રકત યજ્ઞ-ર૦રપ માં ખંભાળીયા તેમજ દ્વારકાના કેમ્પોમાં જામ ખંભાળીયા, જામનગર તથા અમદાવાદની કુલ ૩ જનરલ હોસ્પિટલ તથા ૪ બ્લડ બેંકોના ૧૧ ડોકટરની કુલ ૮ ટીમો કાર્યરત રહેલ. જેમાં અનુભવી ડોકટર્સ મળી કુલ ૧ર૬ જેટલા મેડિકલ સ્ટાફ સતત ખડેપગે રહી અવિરતપણે સેવાઓ આપી હતી.
'' રકત યજ્ઞ-ર૦રપ'' માં તમામ રકતદાતાઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળતા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અદ્ભુત અને ઐતિહાસિક રીતે સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. આ મેગા બ્લડ ડોનેશનના ખંભાળીયાના કેમ્પમાંથી ૧૫૦૩ યુનિટ બ્લ્ડ તથા દ્વારકા ખાતેના કેમ્પમાંથી ૧૧૪૮ યુનિટ બ્લ્ડ મળી ભગવાનશ્રી દ્વારકાધીશની ભૂમિ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક દાખલા રૂપેની કુલ ૨૬૫૧ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું.
આ મહારકતદાન કેમ્પમાં સહભાગી થનાર તમામ રકતદાતાઓના યોગદાન અને આ પ્રકારની સમાજ ઉપયોગી માનવસેવાને ઉમળકાભેર આવકારી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સા. દ્વારા તમામ રકતદાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યકત કરી તમામ રકતદાતાઓને તેઓએ આપેલ અમૂલ્ય યોગદાન બદલ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવેલ. આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તરફથી યોજવામાં આવેલ માનવ સેવારૂપી કાર્યને મહાનુભાવો, અલગ અલગ સમાજના આગેવાનો, સરકારી- બિન સરકારી સંસ્થાઓ, તેમજ વૈવિધ્ય સમાજના લોકો દ્વારા ખૂબ સારી રીતે આવકારવામાં આવેલ છે.
ખંભાળિયા ટાઉન હોલમાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. રાણા તેમજ પોલીસ પરિવાર સલાયાથી મોટા પ્રમાણમાં રકતદાતાઓને લઈને રકતદાન કરાવવા ખંભાળિયા ટાઉન હોલમાં પહોંચ્યા હતાં. જયાં રકતદાતાઓએ રકતદાન કરી અને માનવસેવાનું ઉતમ ઉદાહરણ પૂરૃં પાડયું હતું. સલાયાથી પત્રકાર આનંદ લાલ, શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા, શહેર ભાજપ મહામંત્રી સુમિતભાઈ લાલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ જોષી તેમજ તેમની ટીમના સભ્યો રકતદાન માટે પહોંચ્યા હતાં.
આ તકે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા સલાયાના સૌ રકતદાતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા તેમજ આગેવાનો પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial