Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીઃ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા પહોંચ્યું

હાલારમાં આકરો તાપ બફારાથી જનજીવન ત્રસ્તઃ

જામનગર તા. ૮: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં એપ્રીલ માસની શરૂઆતથી જ ઉનાળાએ રફતાર પકડી લીધી છે. તાપમાન તથા ભેજનું પ્રમાણ વધુ રહેતા સમગ્ર હાલાર પંથકમાં આકરા તાપ અને બફારાના ડબલ એટેકથી જનજીવન અકળાઈ રહ્યું છે. સૂર્ય દેવતા ઉદીત થયા પછી સમગ્ર વાતાવરણમાં ધીમે-ધીમે ગરમી પ્રસરવા લાગે છે. બપોર સુધીમાં નભમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવો આકરો તાપ પડે છે. આકરા તાપ સાથે બફારાનું પણ મિશ્રણ થતા લોકો પરશેવે રેબઝેબ થઈ ત્રાહીમામ પોકારી ઉઠે છે.

નગરમાં પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૩૫ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફુંકાતા તેજીલા વાપરાઓના પગલે સાંજથી ધીમે-ધીમે ગરમીનું જોર ઘટી જતા જનતાએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh