Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' જામનગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે રામ નવમી પર્વની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મધ્યાહને શ્રી રામ જન્મોત્સવ પ્રસંગે પંજરી - પંચામૃતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂજારી દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતીમાં ભક્તોનો સાગર ઉમટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રામનવમી પર આયોજીત રામ સવારીનું પણ શ્રી બાલા હનુમાન મંદિરેથી પ્રસ્થાન થયું હતું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, વિનુભાઈ તન્ના સહિતના હોદ્દેદારો દ્વારા સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા પરિશ્રમ કરવામાં આવ્યો હતો. રામનવમી પર્વ પર હજારો ભક્તોએ શ્રી બાલા હનુમાન મંદિરે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial