Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રિના કનડગત ન થાય તે જોવા વિનંતીઃ
જામનગર તા.૧૪ ઃ જામનગરમાં મહોર્રમ પર્વની ઉજવણી અંતર્ગત તાજીયાઓના નિર્માણનું કામ ચાલી રહ્યું છે ત્યારે રાત્રિના સમયે પોલીસ દ્વારા મુસ્લિમ સમુદાયના યુવાનોને ખોટી કનડગત ન કરાય તે માટે રજૂઆત કરવામાં આવી છે.
જામનગરમાં આગામી દિવસોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોર્રમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તે માટે વિશ્વ પ્રસિદ્ધ એવા તાજીયાઓના નિર્માણ માટે કાર્યવાહી કરાઈ રહી છે. તે ઉપરાંત તકરીર, વાએઝ શરીફ જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે. ઉપરોકત કામગીરી માટે સમાજના યુવાનો દ્વારા રાત્રે પણ કામ કરવામાં આવતું હોય ત્યારે રાત્રિના સમયે બહાર નીકળતા આ યુવાનોને પોલીસ વિભાગ દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં ન આવે તે માટે ગઈકાલે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ યુ.એ. બ્લોચ તથા પ્રભારી ઈકબાલ ખફી (ભુરાભાઈ) દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial