Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ જામનગરની મોદી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશનના સહયોગથી જળ એ જ જીવન વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જલયોદ્ધા તરીકે જાણીતા આંતર-રાષ્ટ્રીય જૈન ભૂષણ એવોર્ડથી સન્માનિત શરદભાઈ શેઠ દ્વારા ર૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોને પાણીનું મહત્ત્વ, રોજિંદા વપરાશમાં પાણીનો વપરાશ કેમ ઘટાડવો, બગાડ કેમ રોકવો, પાણીમાં થતું પ્રદૂષણ અટકાવવું, વાપરેલું પાણી ફરી ઉપયોગમાં લેવું અને ખાસ તો ગગનથી વરસતા અમૃત સમા વરસાદી પાણીને શા માટે અને કઈ રીતે સંચિત કરવું તે વિશે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજણ આપી હતી.
કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પાણીના યોગ્ય ઉપયોગ કરવાના, વપરાશ ઘટાડવા, બગાડ રોકવા અને અન્યને પણ તેમ કરવા માટે સમજણ આપવા માટે જળ-શપથ લીધા હતાં. બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના કો-ઓર્ડીનેટર શરદભાઈ શેઠ સાથે માનદ મંત્રી આદેશભાઈ મહેતા, વિશ્વાસભાઈ શેઠ, કૃણાલભાઈ શેઠ, નવીનભાઈ કોઠારી પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મોદી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial