Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની વિજય ચેરી. હાઈસ્કૂલના છાત્રોને સાડા ચારસો વૃક્ષના રોપા અપાયા

ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયામાં આવેલી વિજય ચેરીટેબલ હાઈસ્કૂલમાં તાજેતરમાં આરાધનાધામ પાસેની સરકારી નર્સરીમાંથી ૪પ૦ વૃક્ષના રોપાઓ લાવીને છાત્રોમાં વિતરણ કરવામાં આવ્યું હતું તથા કેટલાક વૃક્ષોનું રોપણ શાખાના મેદાનમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય કનુભાઈ કણઝારીયા આશીષભાઈ ભટ્ટ, મિતેશ પરમાર વિગેરે જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે ૧૯૮૭ થી આ શાળામાં પ્રતિ વર્ષે છાત્રોને વૃક્ષના રોપાઓ આપીને વૃક્ષારોપણ કરાવાયા છે. તથા અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ રોપાઓ ઘટાદાર વૃક્ષો બનીને ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા છે. ૧૯૮૭ થી ર૦રર સુધી આ શાળાના પ્રિન્સીપાલ હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા પ્રતિ વર્ષ ૧પ૦૦ થી બે હજાર જેટલા રોપાઓનું શાળાના છાત્રો તથા નજીકના ગ્રામજનોને વિતરણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતું હતું જે કાર્ય આ વર્ષે પણ શાળાએ ચાલુ રાખ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh