Advertisement
Author: નોબત સમાચાર

શોપિયામાં આતંકીઓએ ત્રણ લોકોની ગોળી મારીને કરી હત્યા

જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી શ્રમિકો પર હુમલોઃ

શ્રીનગર તા. ૧૪ઃ શોપિયામાં આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી છે, જેની હત્યા થઈ છે તે બિન-કાશ્મીરી શ્રમિકો હતાં.

ગુરુવારે રાત્રે શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી દીધી હતી. આ ઘટના પછી તરત જ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાના ગગરાનને ઘેરી લીધું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં ઘાયલ થયેલા મજૂરોની ઓળખ અનમૌલ, હીરાલાલ અને પિન્ટો તરીકે થઈ છે.

આ પહેલા રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બારતવાલે જણાવ્યું હતુંકે, સૈનિકોએ નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જુથની શંકાસ્પદ હિલચાલ શોધી કાઢી હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી અને જ્યારે તેઓ સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો એમ તેમણે જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh