Advertisement
Author: નોબત સમાચાર

પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર રજીસ્ટ્રેશન સેમિનાર યોજવામાં આવ્યો

ભવન્સ શ્રી એચ.જે. દોશી ઈન્સ્ટિટયુટમાં

જામનગર તા.૧૪ઃ જામનગરમાં ભવન્સ શ્રી એચ.જે. દોશી ઈન્સ્ટિટયુટમાં પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર રજીસ્ટ્રેશન સેમિનાર યોજાયો હતો.

જામનગર મદદનીશ નિયામક રોજગાર કચેરી, વિદેશ રોજગાર સેલ રાજકોટ અને ભવન્સ શ્રી એચ.જે. દોશી ઈન્ફો ટેક ઈન્સ્ટિટયુટ કોલેજ દ્વારા પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ડાયરેકટર ડો. હંસાબેન બી. શેઠ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા રોજગાર કચેરીના એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ તેમજ રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન અને ભરતીમેળાઓ વિષે માહિતી અને માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓનું ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.

વિદેશ રોજગાર સેલ, રાજકોટથી ઉપસ્થિત રહેલા હાર્દિકભાઈ મહેતા દ્વારા પાસપોર્ટ રજીસ્ટ્રેશન વિદેશમાં રોજગારી અને અનુસ્નાતક અભ્યાસ વિશે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક માટે વિવિધ તકો અને રોજગારીની તકો વિષે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આયોજન બદલ પ્રોફેસર હસિત ચંદારાણા, રવિ ઓઝા અને હિરલ પંડ્યાએ જહેમત ઉઠાવી હતી. સેમિનારમાં થર્ડ યરમાં અભ્યાસ કરતા ૯ર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સેમિનારના અંતે પ્રોફેસર હસિત ચંદારાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમ મદદનીશ નિયામક રોજગાર સરોજ બી. સાંડપા, જામનગરે જણાવ્વ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh